ડોક્ટર એટલે એક મિત્ર – કે જેની સામે વ્યક્તિ મન મોકળું કરી વાત કરી શકે, એક મલમ – કે જે દરેક ઘાવને શાતા આપે, એક વિશ્વાસ એક ભરોસો જેના ટેકે મરણાસન્ન પડેલો વ્યક્તિ દોડતો થઇ જાય. કે પછી ડોક્ટર એટલે એક સાથીદાર – જે જન્મ અને મૃત્યુ સમયે તો ખરો જ પણ જીવનની બધી જ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી સામે હતોહિન્દૂ ધર્મમાં ધન્વંતરિને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જેમનો ઉદભવ સમુદ્ર મંથન માંથી થયો હતો. વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ જમાનામાં ડોક્ટરને ભગવાન કે ભગવાનનો અવતાર કહેવું તો અયોગ્ય ગણાશે. ડોક્ટરની હયાતી એવું માની શકાય કે હજારો વર્ષો પૂર્વેથી હોવી જોઈએ. પણ આજે મનમાં સવાલ થાય કે ડોક્ટર એટલે શું? સમાજ અને માનવજીવનમાં ડોક્ટરનો શું અર્થ કાઢવો? ડોક્ટર એટલે એક મિત્ર – કે જેની સામે વ્યક્તિ મન મોકળું કરી વાત કરી શકે. એક મલમ – કે જે દરેક ઘાવને શાતા આપે. ડોક્ટર એટલે એક વિશ્વાસ…એક ભરોસો…જેના ટેકે મરણાસન્ન પડેલો વ્યક્તિ દોડતો થઇ જાય. કે પછી ડોક્ટર એટલે એક સાથીદાર – જે જન્મ અને મૃત્યુ સમયે તો ખરો જ પણ જીવનની બધી જ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી સામે હતો.
સાચું કહું તો મારા માટે પણ Dr એ માત્ર ટાઇટલ કે વ્યવસાય નથી, પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. It is a way of life. એક ડોક્ટર હોવાના નાતે કહી શકું કે ડોક્ટરની જવાબદારી માત્ર રોગ જાણીને દવા આપવા પૂરતી સીમિત નથી. જરૂરી સમયે જરૂરી નિર્ણયો લેવા ખુબ જ આવશ્યક છે. પછી એ સમય સવારનો, બપોરનો કે અડધી રાતનો, કે પછી કોઈ રવિવાર કે તહેવાર પણ કેમ ના હોય ! એટલે કહે છે ને કે ડોક્ટર એટલે કદી ના આથમતો સુરજ. अहतिर्षम सेवामहे – સાચું કહું તો દરેક ડોક્ટરે આ વાક્ય પોતાના નામની બાજુમાં લખવું જોઈએ.કદાચ એ પ્રશ્ન ઉદ્ભવે કે ડોક્ટરના મનમાં આટલું બધું લખવાની શી જરૂર? સમાજના દરેક વ્યવસાય ને જો બારીકાઈથી જોવામાં આવે તો તેમના વગર સમાજનું ટકવું અને વિકસવું શક્ય નથી.
પરંતુ તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલો ઘાતકી હુમલો અને માત્ર બંગાળ જ નહિ પણ છેલ્લા કેટલા વર્ષોમાં દેશના વિભિન્ન ભાગમાં થયેલા ડોક્ટર પરના હુમલાઓના કારણે ડોક્ટર વ્યવસાય ખતરામાં મુકાયો છે!અહીં એક વાત જાણવી ઘટે કે ડોક્ટર એ.સી., ટ્યુબલાઈટ કે પંખો રીપેર નથી કરતો કે જેની ગેરંટી કે વોરંટી આપી શકે. ડોક્ટર કુદરત સામે બાંયો ચઢાવીને તમારી આગળ ઉભો છે. દરેક વખતે ડોક્ટર સફળ જ જાય તે જરૂરી નથી. આખરે તો Doctor Treats, He Heals. માટે જરૂરી પરિણામ ના મળે ત્યારે ધીરજ ગુમાવીને તમારા માટે રાત-દિવસ એક કરતા વ્યક્તિને સમાજ કેવી રીતે જવાબદાર ઠેરવી શકે?એક વ્યક્તિને ૨૦૦ માણસોનું ટોળું આવીને દગડા-પાટુનો માર કેવી રીતે મારી શકે? ડોક્ટર તરીકે સમગ્ર Doctor Fraternity વતી છાતી ઠોકીને કહી શકું કે કોઈ ડોક્ટર એવું નથી ઈચ્છતો કે દર્દી સાજો થયા વિના પાછો જાય અથવા દર્દી મૃત્યુ પામે. પછી એ ગોરો હોય કે કાળો હોય, હિન્દૂ હોય કે મુસ્લિમ હોય!
હમણાં જ એક કિસ્સો વાંચવામાં આવેલો કે આર્મીમાંથી નિવૃત થયેલ એક એનેસ્થેટિસ્ટ ડોક્ટર બોર્ડર પર સેવા આપવા ગયેલા. યુદ્ધ ચાલુ હતું અને આર્મી હોસ્પિટલમાં ઘાયલ સૈનિક આવવાના ચાલુ હતા જેમને કદી જોયા ના હોય, જાણ્યા ના હોય, ઓળખ્યા ના હોય.. જેનું નામ પણ ખબર ના હોય એવા સૈનિકો..વ્યક્તિઓનું આખી રાત ઓપરેશન ચાલતું અને દર્દી ભાનમાં આવતો ત્યારે માલુમ પડતું કે એ સૈનિક/વ્યક્તિ/દર્દી તો પાકિસ્તાનનો છે. છતાં એમને અંદરથી જરા પણ રંજ ના થતો. આ છે ડોક્ટરની ખુમારી, જે ક્યારેય દેશ પણ જોતો નથી અને સમય આવ્યે દુશ્મન હોય તો તેની પણ સારવાર કરે છે. લંકામાં ઘાયલ થયેલ લક્ષમણની સારવાર રાવણની લંકાના વૈદ્યે કરી હતી. ધાર્યું હોત તો દુશ્મનની સારવાર કરવાની ના પાડી રાવણના પક્ષમાં રહી શક્યો હોત, પણ તેમ ના કરતા તેને માનવતાને પ્રાધાન્ય આપ્યું.
ડોક્ટર એ જ સમાજમાંથી આવે છે કે જે સમાજમાંથી IAS , IPS કે એન્જીનીયર્સ આવે છે. સામાજિક દુષણો ક્યારેક ડોક્ટરોમાં પણ જોવા મળવાના પણ તેનું પ્રમાણ મારા મને એક ટકાથી વધારે તો ના જ હોવું જોઈએ. પણ તેના કારણે આખી ડોક્ટર fraternity ને શંકાના લેન્સથી જોવી યોગ્ય નથી. સમાજે એ વિચારવાની જરૂર છે કે કયો ડોક્ટર સારવાર કરવાની જવાબદારી લેશે, જો તે જાણતો હોય કે વિપરીત પરિણામ આવતા ૨૦૦ માણસો તેનો જીવ લઇ લેશે!! આખરે ભોગવશે કોણ? સમાજ પોતે!!
જો કોર્ટમાં બેઠેલ જજ, પોલીસ સ્ટેશનમાં બેઠેલ ઇન્સ્પેક્ટર કે દિલ્હીમાં બેઠેલ રાજનેતાને ભયમુક્ત વાતાવરણમાં કામ કરવાનો અધિકાર છે તો ડોક્ટરને કેમ નહિ? જો કોર્ટમાં આપેલ ચુકાદો ઉપલી કોર્ટમાં ફરી જાય અને એમાં જજ દોષી નથી તો મૃત્યુના મોરચે દર્દીને બચાવવા પડેલા ડોક્ટરની સમય સૂચકતામાં ફેર થાય તો તેને કેવી રીતે દોષી ઠેરવી શકાય. આ વાત આજના શિક્ષિત અને વિચારશીલ સમાજે સમજવી જ રહી. જેટલો Medical Negligence શબ્દ સાંભળ્યો છે એટલો ક્યારેય Police Negligence, Political Negligence કે Negligence of Judge શબ્દ સાંભળ્યો નથી કે આના સારું થઈએ કોઈને જેલના સળીયાની પાછળ જતા જોયા નથી.
આમ જનતાને વિનંતી, એક વાર સરકારી દવાખાનામાં જઈને જોજો, એક ડોક્ટર કેટલા દર્દીની સારવાર કરે છે એ જોજો, કઈ સુવિધામાં કામ કરે છે એ જોજો, કેટલા કલાકથી કામ કરે છે એ જોજો, અને જો દવાખાનામાં જવાનો સામ ના હોય તો RTI કરી સરકાર પાસે જવાબ માંગજો કે ડોક્ટરો કઈ હોસ્પિટલમાં ટ્રેઈન થાય છે, એમને રહેવા માટેની હોસ્ટેલની હાલત કેવી છે? દર્દીની સામે ડોક્ટરનો રેશિયો કેટલો છે? શું તેઓ નિર્ધારિત સમય કરતા કેટલું વધારે કામ કરે છે? શું તેઓ સમયસર જમી શકે છે? ઊંઘી શકે છે? આખરે ડોક્ટર તરીકે નહિ પણ માણસ તરીકે મર્યાદિત કલાકો, મર્યાદિત દર્દીઓ અને સ્વચ્છ અને ભયમુક્ત વાતાવરણ માંગવાનો મારો હક્ક જન્મસિદ્ધ આરક્ષિત છે.જો કશું આપી શકો તો એક ડોક્ટર તરીકે અદના સમાજ પાસેથી મારી શું અપેક્ષા.કોરોનાના કપરા કાળમાં જ્યારે આપણે આજે ડોક્ટરનું મૂલ્ય સમજ્યા છીએ ત્યારે આજના ડોક્ટર્સ ડે પર આપણે સૌ કોરોના સામે લડતા આવા યોદ્ધાઓને નમન કરીએ. સામાન્ય રીતે યાદ ન આવતો અને એટલો બધો મહત્વપૂર્ણ ન લાગતો આ દિવસ આજના સમયમાં કેટલો મહત્વપૂર્ણ છે સમજાયુ છે. તો આપણે સૌ કોરોના સામે યુદ્ધે ચડેલા આપણા જાંબાજ ડોક્ટરોનું સન્માન કરીએ અને તેમને આદર આપીએ.દર વર્ષે ભારતમાં 1 જુલાઇ ડોક્ટર દિવસ તરીકે ઉજવાય છે. ડો. બિધાન ચંદ્ર રોય ના જન્મદિવસે ભારતમાં ડોકટર દિવસ ઉજવાય છે. મેડીકલ ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ અને સંશોધનો કરનારા ડોકટરોને સન્માન કરવા માટે ભારતમાં દર વર્ષે 1 જુલાઇ એ ડોક્ટર દિવસ તરીકે ઉજવાય છેવિશ્વમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ દિવસે ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર દિવસની સૌપ્રથમ શરુઆત યુ.એસ.ના જ્યોર્જિયામાં થઇ હતી. 30 માર્ચ, 1933 ના રોજ યુડોરા બ્રાઉન એલ્મંડ એ ડોકટરોના સન્માન કરવા માટે ડોકટર ડે ઉજવવાનું નક્કી કરેલું.
ડો.બી.સી.રોય નો જન્મ જુલાઈ 1, 1882માં થયો હતો એટલે તેમના માનમાં ભારત સરકારે દર વર્ષે 1 જુલાઇ ડોક્ટર દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યું છે. ડો.બી.સી.રોય પશ્ચિમ બંગાળના દ્વિતિય મુખ્યમંત્રી પણ રહી ચુકયા છે. તેમને વર્ષ 1961માં ભારત રત્ન પણ આપવામાં આવ્યો છે. તેમનું અવસાન 80 વર્ષની ઉંમરે જુલાઈ 1, 1692માં થયું હતું. તેમની જન્મ તારીખ અને મરણ તારીખ એક જ છે. આજના દિવસે સામાન્ય રીતે તો ડોક્ટર્સનું સન્માન કરાય છે અને અનેક સ્થળે રક્તદાન કેમ્પ યોજાય છે. આજે પણ દેશના અનેક વિસ્તારોમાં આ દિવસે રક્તદાન કેમ્પ યોજી દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ લોકડાઉનની શરૂઆતમાં ડોક્ટરોના સન્માન અર્થે ઘરે રહીને થાળી વગાડી તેમનું સન્માન કરવા, ત્યાર બાદ મીણબતી પ્રગટાવી સન્માન કરવા અને પછી ભારતીય સેના દ્વારા હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરીને કોરોના યોદ્ધાઓને સન્માન આપ્યું હતું.
આ તો આપણે વાત કરી કે ડોકટરનું પણ આપણા જીવનમાં કેટલું મહત્વ છે. હવે વાત કરીએ કે ભારતમાં સૌથી વધુ આવક ધરાવનારા ડોકટર્સ કોણ છે.તો ચાલો જાણીએ…ભારત એ દક્ષિણ એશિયા મા સ્થિત ભારતીય ઉપખંડ નો સૌથી વિશાળ રાષ્ટ્ર છે. ભારત એ સંપૂર્ણ પણે ઉત્તરીય ગોળાર્ધ મા સ્થિત છે, ભારત ને ભૌગોલિક નજરે વિશ્વ નો સાતમો સૌથી મોટો દેશ માનવા મા આવે છે, જ્યારે વસ્તી ની દ્રષ્ટિએ જોઈએ તે બીજો સૌથી મોટો દેશ છે.ડોક્ટર ને બીમાર થયેલ લોકો ના ભગવાન ગણવામા આવે છે, કોઈ પણ માંદા થયેલ લોકો તેની બિમારી ને સરખી કરવા ની આશા લઈ ને ડોક્ટર પાસે જાય છે, જેના લીધે ડોક્ટર ને પ્રભુ ની પ્રતિમારૂપ ગણવામા આવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે કયા ડોક્ટર ભારત મા સૌથી વધુ ફી વસુલે છે અને ભારત ના કયા ડોક્ટર શ્રેષ્ઠ છે, તો ચાલો જાણીએ આ લેખ મા.
ડો. સુધાંશુ ભટ્ટાચાર્ય.
ડો. સુધાંશુ ભટ્ટાચાર્ય એ ભારત દેશ ના એક સફળ રક્તવાહિની શસ્ત્રક્રિયા નિષ્ણાતોમા ના એક છે. રક્તવાહિની શસ્ત્રક્રિયા મા નિષ્ણાત બનાવવા માટે તેઓ એ વિશ્વ ના અગ્રણી કાર્ડિયાક સર્જન ડો. ડેડલી જહોનસન ની નીચે યુ.એસ. ની ફેલોશિપ. મુંબઈ ની જસલોક હોસ્પિટલ તથા બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં કાર્ય કર્યા બાદ તેમને ધીમે ધીમે મુંબઈ ની મોટાભાગ ની મોટી હોસ્પિટલો મા જોડાવા નિમંત્રણ પ્રાપ્ત થયુ.ડો. સુધાંશુ એ એક સર્જન છે અને તેઓ એક ઓપરેશન કરવા માટે અંદાજીત ૧૪ થી ૧૫ લાખ ફી લે છે. તેમનું ક્લિનિક દક્ષિણ મુંબઈ મા આવેલ છે અને તેમના દર્દીઓ માં વિખ્યાત ફિલ્મ બનાવનાર રાકેશ રોશન તેમજ મહારાષ્ટ્ર ના ભૂતપૂર્વ રાજ્યપાલ પી.સી. એલેક્સજાંડર પણ છે. ૯૦ના દશકા માં તે સૌથી વધુ કર ભરનારા ડોક્ટર હતા, જેની ક્લિનિક્સ ની પ્રતિક્ષા યાદી કાયમ ને માટે ભરેલી રહેતી.
ડો. એસ.નટરાજન.
ચક્ષુ ના ચિકિત્સક તરીકે ફરજ નિભાવતા એસ.નટરાજન બોમ્બે હ હોસ્પિટલ માં ચીફ સર્જન તરીકે પણ કાર્ય કરે છે તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર હોસ્પિટલ માથી દર માસે ૬૦ લાખ રૂપિયા પ્રાપ્ત કરે છે. તેણે ઘણા બોલીવુડ સ્ટાર્સ, વિદેશી વ્યક્તિઓ તથા મોટા પ્રભાવશાળી વ્યક્તિ ની સારવાર કરી છે. જે અન્ય ડોક્ટર ની સાપેક્ષે ઘણું વધુ છે.
ડો. રાકેશકુમાર માથુર.
ડો.રાકેશકુમાર માથુર એ એક રેડિયોલોજિસ્ટ છે, જે કેમેક્સ હોસ્પિટલ ના સહકાર થી કેન્સર ના દર્દીઓ સાથે ફરજ નિભાવે છે, તેઓ ઓપરેશન માટે આશરે ૧૦ લાખ રૂપિયા સુધી ની ફી વસુલે છે.
ડો. નરેશ ત્રિહાન.
તે ભારત દેશ નો ત્રીજો સૌથી મોંઘો ડોક્ટર ગણવામા આવે છે. તેના વિશે જણાવીએ તો, તે સૌથી વધુ કર ચૂકવનારા ડોકટરો મા નો એક છે, તે દર માસે ૩૦૦ થી વધુ સર્જરી કરે છે, આ નરેન્દ્ર મોદી થી લઈ ને મુકેશ અંબાણી તેમજ અમિતાભ બચ્ચન જેવા પ્રસિદ્ધ વ્યક્તિઓ ની સારવાર કરેલ છે.
ડો. બાલમુરલી અંબાતી.
યુવા ડોક્ટર કે જેણે ફક્ત ૧૭ વર્ષ ની વયે યુ.એસ.થી તબીબી શિક્ષણ પૂર્ણ કરેલ છે, તે ભારત મા તેની સેવાઓ આપી રહ્યા છે તથા જરૂરિયાતમંદો ને પરવડે તેવા દરે તેમની સેવાઓ આપી રહ્યા છે. તે પ્રતિ ઓપરેશન ૭ થી ૧૦ લાખ સુધી ની ફી લે છે.
ડો. દેવીપ્રસાદ શેટ્ટી.
બેંગ્લોર ના સૌથી ખ્યાતનામ ડોકટરો કે જેમની ચર્ચા કાયમ તબીબી જગત મા થતી રહે છે, ગરીબ વ્યક્તિઓ ને નજીવી કિંમતે સારવાર મળે તે માટે, ધનિક લોકો ની સારવાર માથી પૈસા કમાતા ડોકટર. તેઓ પ્રતિ ઓપરેશન ૧૫ થી ૨૦ લાખ રૂપિયા લે છે તેમજ અન્ય ઓપરેશન મા આ પૈસા નો ઉપયોગ કરે છે.મિત્રો જો તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો તેને લાઈક જરૂર કરજો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરી તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..