બોલિવુડમાં ઘણા એવા સેલિબ્રિટી છે જેનું બાળપણ ઘણી ગરીબીમાં વિત્યુ અને સાથે જ તેમની પાસે ખાવા માટે પણ પૈસા ન હતા. આજે અમે આ પોસ્ટ દ્વારા તમને એવી અભિનેત્રી વિશે કહેવા જઇ રહ્યા છીએ જે આજે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં કવિન કહેવામાં આવે છે અને લોકો તેમની એક્ટિંગ અને ખુબસુરતી ઉપર ઘણા જ ફિદા હશે. વાત આપણે જે અભિનેત્રીની કરવા જઈ રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પરંતુ એરિકા ફર્નાન્ડિઝ છે.
જો તમે એરિકા ફર્નાન્ડિઝ ના મોટા ફેન્સ છો તો તમે તેમના સ્ટૂગલ ના વિશે જાણતા જ હશો. પરંતુ જો તમે નથી જાણતા તો અમે તમને આજે તેના વિષે કહેવા જઈ રહ્યા છીએ. એરિકા ફર્નાન્ડિઝ એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના પરિવારની આર્થિક સ્થિતિ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તે સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે તેમનો પરિવાર ની હાલત કઈ ખાસ હતી નહીં. પાપા ને હૃદયની બીમારી થી જુજી રહ્યા હતા. અચાનકથી તેમને ત્રીજો હાર્ટ એટેક આવી ગયો અને તે દોઢ મહિના માટે કોમામાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ આખા પરિવારની જિમ્મેદારી મારા ઉપર આવી ગઈ હતી. એરિકા ફર્નાન્ડિઝ એ આગળ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે એવો પણ સમય આવ્યો હતો ત્યારે એક ટાઈમે રોટલી માટે પણ પૈસા ન હતા પરંતુ સમય જતાં જતાં બધું જ બદલાઈ ગયું.
તમને બધાને ખબર જ છે કે ૧૬ નવેમ્બર એ એશિયન વ્યુવર્સ ટેલિવિઝન અવૉર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ની હસ્તીઓ ને ઇન્વાઇટ કરવામાં આવી હતી. જે ઘણી જ મશહૂર છે. આ અવોર્ડ ફંકશન ને કરણ ટ્રેકર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું. તમને કહી દઈએ કે ત્યાં એરિકા ફર્નાન્ડિઝ અને બેસ્ટ ફીમેલ એક્ટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો અને અમેરિકામાં પણ જઈને તેમણે પોતાનું નામ રોશન કરી બતાવ્યું છે. તે દરમિયાન સ્ટેજ ઉપર તે રેડ અને ગોલ્ડન કલર ના લહેંગા ચોલી મા નજર આવી હતી. kasotizindgiki2 માં તેમની એક્ટિંગ ને લોકો વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તેમના સિવાય આજકાલ તે પાર્થ સમથાન ના સાથે રિલેશનશિપને લઈને ઘણી ચર્ચામાં રહે છે.
એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘કસૌટી જિંદગી કે’માં એક પછી એક કલાકારોએ આ શો છોડવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ શોના લીડ એક્ટર પાર્થ સમાથાને શો છોડ્યો હોવાના ન્યૂઝ હતા. હવે ફીમેલ લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝે પણ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે કોવિડ 19 અને પરિવારના સભ્યોની હેલ્થને કારણે આ મોટો નિર્ણય લીધો છે.
હાલમાં જ ઈન્ડિયા ટીવીના રિપોર્ટ પ્રમાણે શોની પ્રેરણા એટલે કે એરિકાએ શો છોડવાનું નક્કી કરી લીધું છે. તે ઘણાં દિવસથી કોવિડ 19ને કારણે ઘરમાં જ શૂટિંગ કરતી હતી પરંતુ હવે તે સેટ પર પરત ફરી છે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્ટ્રેસ હાલમાં ઘરમાં જ રહેવા માગે છે. તેના પિતાને ચાર વાર હાર્ટ અટેક આવી ચૂક્યો છે અને તેની માતા પણ ટીબીની પેશન્ટ રહી ચૂકી છે. આ સમયે એરિકા પેરેન્ટ્સની હેલ્થ અંગે કોઈ જોખમ લેવા માગતી નથી.
એક મહિના પહેલા શોમાં મિસ્ટર બજાજનો રોલ કરતા કરન સિંહ ગ્રોવરે શો છોડી દીધો હતો. હવે તેની જગ્યાએ કરણ પટેલ જોવા મળે છે. ત્યારબાદ પાર્થ સમથાન શો છોડવા ઈચ્છે છે. શોમાં હવે બજાજ તથા પ્રેરણા પર ફોકસ કરવામાં આવશે. બીજી તરફ પાર્થને બીજા મોટા પ્રોજેક્ટ મળ્યા હોવાથી તેણે શો છોડવાનું નક્કી કર્યું છે. શોમાં નિવેદિતાના પતિ બનેલા અનુપમ સેનગુપ્તા એટલે કે સાહિલ આનંદ પણ શો છોડવાનો છે. તે શા માટે શો છોડવાનો છે, તે પાછળનું કોઈ કારણ હજી સુધી સામે આવ્યું નથી.
મેકર્સ મનાવવાનો પ્રયાસ કરે છે,પાર્થ અને સાહિલ એક જ સમય પર શોને અલવિદા કહેવા ઈચ્છે છે. જોકે, મેકર્સ તેમને સતત મનાવવાના પ્રયાસ કરે છે. કેટલાક લોકો માને છે કે પાર્થે હેલ્થને કારણે આ શો છોડ્યો છે. પાર્થે કોવિડ 19 પોઝિટિવ આવ્યો તે પહેલા જ એકતા કપૂરને શો છોડવાની વાત કહી હતી. હાલમાં એકતા તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા અનુરાગની શોધ શરૂ કરી દેવામાં આવી