જોઈએ તો બધા જ ઘરમાં થોડીક થોડીક સમસ્યા હોય છે, પરંતુ ઘણીવાર તે સમસ્યા થોડીક વધી જતી હોય છે. અને જવાનું નામ લેતી નથી તેમના કારણે તમારા ઘરમાં રહેલ ખરાબ શક્તિઓ અથવા તો નેગેટિવ એનર્જી થઈ શકે છે.આ ખરાબ શક્તિ અને નેગેટિવ એનર્જી ઘરનો માહોલ ને બગાડવાનું કામ કરે છે. આ સ્થિતિ થી બચવા માટે તમારે તમારા ઘરમાં માહોલ ને આ ખરાબ શક્તિ અને નકારાત્મક ઉર્જાઓ થી દુર રાખવાનું હોય છે. આ કામમાં વાસ્તુની થોડી ખાસ ટિપ્સ તમારી મદદ કરી શકે છે.વાસ્તુશાસ્ત્ર નું ભારતમાં ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ઘર અને તેમાં રાખેલો સામાન ને વાસ્તુના પ્રમાણે સાચી દિશામાં રાખવાથી તમારા ઘર ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે અને તમારી લાઇફમાં ઇમ્પ્રૂવમેન્ટ પણ થાય છે. તે વાતને ધ્યાનમાં રાખતા આજે અમે તમને વાસ્તુ સંબંધિત એક ખાસ ઉપાય કહેવા જઈ રહ્યા છીએ.
આપણા બધા જ લોકોના ઘરમાં રોજે ઘણી બધી ગંદકી જમા થતી હોય છે. આ ગંદકી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ તેમાંથી નીકળતી નેગેટિવ ઊર્જા ઘરમાં પોઝિટિવ ઊર્જા ને સમાપ્ત કરી દેતી હોય છે. એવામાં આ ગંદકી થી નીકળવા વાળી નેગેટીવ ઉર્જા થી છુટકારો મેળવવો જરૂરી થઇ જતો હોય છે. હવે ગંદકીથી છુટકારો મેળવવા માટે લોકો સાવરણી અને પોતું લગાવી લેતા હોય છે સાથે જ ઘણા લોકોએ દરવાજાની બહાર પગલુછણીયા માટે પગલુછણીયુ પાથરી દેતા હોય છે.
આ પગલૂછણીયા નો વપરાશ થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ બહારથી ખરાબ પગને લઈને ઘરમાં એન્ટ્રી કરે છે. આ પગલૂછણીયા ઉપર પગ લુછવાથી બહાર ની રજ અંદર આવતી નથી પરંતુ આ પગલૂછણીયા માં ચોટલી ગંદકી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ સ્થિતિમાં આ નકારાત્મક ઉર્જા ને પૂર્ણ કરવા માટે આ રીતે ઉપાય કરી શકો છો.પગલૂછણીયા ઉપર છાંટો આ ખાસ વસ્તુજ્યારે તમે ફર્શ ઉપર પગ પગ લૂછવાનું પગલુછણીયુ પાથરો છો તો તેમના ઉપર થોડું નમક નાંખો. આ નમક તમે આ પગલૂછણીયા ઉપર છાંટી શકો છો અથવા તો તેમની નીચે પણ છાંટી શકો છો. નમક ખરાબ શક્તિઓને દૂર રાખવા માટે વર્ષો થી વપરાશ કરવામાં આવે છે. તેનાથી ખરાબ અને નકારાત્મક શક્તિઓ નાશ થાય છે.
આ ઉપાયને કર્યા પછી ખરાબ ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી અને કોઇ નેગેટિવ એનર્જી આવતી નથી. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ફક્ત ને ફક્ત પોઝિટિવ એનર્જી વધુ રહેશે જે તમારા ઘરમાં સુખદ અને સકારાત્મક માહોલ બનાવી ને રાખશે.આ ઉપાય કરવાની સાથે સાથે તમે તમારા પગ લુછણીયા ને સમય સમય પર ધોતા રહો તેમને સત ની દ્રષ્ટિથી પણ સુરક્ષિત રાખશે અને ઘરમાં કીટાણું આવશે નહીં. સાથે જ ગંદકી પગલૂછણીયા માં વધુ જમા થતી નથી એટલા માટે નેગેટિવ એનર્જીનું વારંવાર આવવાના ચાન્સ ઓછો થઈ જશે.
જો તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિને નજર લાગી ગઇ હોય તો તેની નજર ઉતારવા માટે માત્ર એક ચપટી મીઠાની જરૂર પડે છે. એક ચપટી મીઠું લઈ તે વ્યક્તિના પગ થી માથા સુધી તેને ઉતારી અને પાણીમાં પધરાવી દેવાથી તે વ્યક્તિ ઉપર લાગેલી કોઈની પણ ખરાબ નજર દૂર થઈ જાય છેજો તમારા ઘરના માસ્ટર બેડરૂમ માં સિંધવ નિમક નો એક ટુકડો રાખી દેવામાં આવે તો તેના કારણે ઘર પરિવારના સભ્યો ની અંદર પ્રેમ ભાવ વધે છે અને તાલમેલ બની રહે છે.
જે વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહની દશા ચાલી રહી હોય તે વ્યક્તિઓ શનિના પ્રભાવથી બચવા માટે જો સિંધવ નિમક નું દાન કરે તો તે ઉત્તમ માનવામાં આવે છે. આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં રહેલો શનિનો પ્રકોપ ઘટી જાય છે.
જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર કાયમી માટે બની રહે અને તમારા ઘરમાં પણ કાયમી માટે ધન વર્ષા થતી રહે, તો એક કાચના ગ્લાસ ની અંદર પાણી ભરી તેની અંદર મીઠું ઓગાળી લો અને ત્યારબાદ તેને નૈઋત્ય ખૂણા ની અંદર રાખી દો.ત્યારબાદ દર અઠવાડિયે આ પાણીને બદલાવતા રહો આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહેશે, અને તમે પણ બની રહેશો ધનવાન.
શાસ્ત્રોની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો તમે પાણીની અંદર મીઠું ભેળવી ત્યારબાદ તેના પોતાના કરો તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જાય છે.જો તમારા વેપાર ધંધા ની અંદર પ્રગતિ કરવી હોય તો તમારી તિજોરીની ઉપર લાલ કપડામાં થોડું મીઠું બાંધી રાખી દેવાથી તે મારા વેપારધંધા ની અંદર રાતોરાત વધારો થાય છે.આમ તમે પણ મીઠાના આ ઉપાય દ્વારા તમારા જીવનમાં રહેલા બધા જ દુઃખ ન કરી શકો છો દૂર અને કાયમી માટે રહી શકો છો સુખી.