આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે કે આ તો લો બ્લડપ્રેશરને લીધે થાય છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઘટી જવાને લીધે આવું વારંવાર થાય છે.જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.અચાનક બ્લડ પ્રેશર (BP)માં ઘટાડો અને ચક્કર (Dizziness) આવવા અથવા માથુ ઘુમવા જેવી સમસ્યાઓ કોઈપણ સમયે અને કોઈપણની સાથે થઈ શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, આ સ્થિતિમાં સૌથી પહેલાં શું કરવું જોઈએ?
BP લો થાય ત્યારે તુરંત શું કરવુંજો અચાનક કોઈ વ્યક્તિનું બી.પી. લો થઈ જાય અને તેને ચક્કર આવવા લાગે, ચહેરા પર કળતર લાગે, હાથ-પગ કાંપવા લાગે. તેથી સૌ પ્રથમ, તેને ઇલેક્ટ્રોલ સોલ્યુશન અથવા ખાંડ મીઠું પાણી આપો. તરત લાભ થશે.જો લીંબુનું પાણી અને ઇલેક્ટ્રોલ સોલ્યુશન ઉપલબ્ધ ન હોય તો, તો ચક્કર આવવા પર કોફી પણ પી શકો છો. આ પણ તમારા બ્લડ સુગરનું સ્તર વધારવામાં મદદ કરશે.જો આમાંથી કંઈ પણ શક્ય ન હોય તો તાત્કાલિક મીઠાઇ અથવા નમકીન ખાવુ જોઈએ. આ પણ તમારા ઘટતા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
રેગ્યુલર બેસિસ પર શું કરવું જોઈએ
હવે વાત આવે છે એવાં લોકોની, જેઓને ઘણીવાર બ્લડ પ્રેશર લો રહેવાની સમસ્યા આવે છે.એવામાં તેઓએ આ સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરી શકે છે. તેના વિશે ડોક્ટર્સ કહે છેકે, બીપી લો હોવાની સમસ્યાને તમારા રેગ્યુલર ડાયટનાં આધાર પર નિયંત્રિત કરી શકાય છે.જેમને લો બીપીની સમસ્યા છે, તેઓએ તેમના ખોરાકમાં વસ્તુઓનું પ્રમાણ વધારવું જોઈએ જે બ્લડ પ્રેશરનું સંતુલન કરવામાં મદદ કરે છે. જેમ કે આયર્નથી ભરપુર ખોરાક. આમાં કેળા, મખાણા, પપૈયા, મૂળા, પાલક વગેરેનો સમાવેશ થાય છે.
કેટલીક ખાસ કસરતો પણ મદદરૂપ થાય છે.
એવું નથી કે બ્લડ પ્રેશર ફક્ત આહાર જાળવવાથી નિયંત્રિત કરી શકાય છે. ઉલટાનું, આ માટે શારીરિક રીતે સક્રિય થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકો નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિઓ કરે છે તેમના શરીરમાં લોહીનો પ્રવાહ જેઓ કસરત કરતા નથી તેના કરતા વધારે હોય છે.આ માટે, તમારે દરરોજ થોડા કલાકો ચાલવું જોઈએ. જો તમે બેસવાની નોકરીમાં હોવ તો, નિયમિત યોગ અને કસરતની સાથે, કાર્ય દરમિયાન દર 45 મિનિટમાં 5 મિનિટનો વિરામ લો અને શરીરને ખેંચો. આ પ્રકારના સ્ટ્રેચિંગ લોહીના પ્રવાહને જાળવવામાં મદદગાર થાય છે.ક્યારેક બ્લડપ્રેશર ઓછું થઈ જાય એ સમજ્યા, પરંતુ જો વારંવાર આવું થવાની તકલીફ રહેતી હોય તો દરદીએ ચેતી જવું જોઈએ; કેમ કે એ ક્યારેક હાર્ટ, કિડની અને થાઇરોડ ગ્રંથિની તકલીફ હોઇ શકે છે.
શરીરમાં લોહી સતત ફરતું રહે છે. રક્તવાહિનીઓમાં લોહીનું ભ્રમણ યોગ્ય રિધમમાં ચાલતું રહે એ માટે રક્તવાહિનીઓનું ચોક્કસ દબાણ નિશ્ચિત થયેલું હોય છે. જ્યારે લોહીના ભ્રમણમાં અચાનક જ વધારો કે ઘટાડો થાય છે ત્યારે રક્તવાહિનીઓમાં બ્લડપ્રેશર ઘટે છે. ઊંચું બ્લડપ્રેશર હોય એ ખરેખર ઘાતક હોય છે, જ્યારે નીચું રક્તદબાણ હોય એ દરેક સંજોગોમાં ઘાતક નથી હોતું. ઘણા એવા સંજોગો હોય છે જેમાં સામાન્ય રીતે બીપી નીચું જ રહે.લો બ્લડપ્રેશરને કારણે તકલીફનાં લક્ષણો દેખાતાં હોય તો એ પ્રત્યે બેદરકારી સારી નથી, કેમ કે શરીરમાં લો બીપીને કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થતાં શરીરના જુદાંજુદાં અવયવો અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતાં નથી.
સામાન્ય રીતે આપણા હાથમાં રહેલી ધમનીમાંનું દબાણ અથવા પ્રેશર એટલે બ્લડપ્રેશર. આ દબાણ લોહીને વહેવામાં મદદ કરે છે. હૃદયના સંકોચન સાથે ધમનીમાં જે દબાણ ઉત્પન્ન થાય એને ઉપરનો આંક રહે છે, જેને મેડિકલ ભાષામાં સિસ્ટોલિક બીપી કહેવાય છે. હૃદયના વિસ્તરણ સાથે ધમનીમાં પ્રેશર ઓછું થાય એ નીચેનો આંક એટલે મેડિકલ ભાષામાં ડાયાસ્ટોલિક બીપી કહેવાય. અત્યારની વ્યાખ્યા મુજબ તંદુરસ્ત વ્યક્તિનું હાઈ બીપી ૧૨૦ અને લો બીપી ૮૦ હોવું જોઈએ. જો બીપી ૧૪૦/૯૦નો આંક વટાવી જાય તો એ હાઈ બ્લડપ્રેશરનું નિદાન થાય, પણ લો બીપી માટે આવો કોઈ આંક નક્કી કરવામાં નથી આવ્યો. સામાન્ય રીતે હાઈ બીપી ૯૦થી નીચે જાય અથવા તો લો બીપી ૬૦થી નીચું જાય તો એ લો બીપીનાં લક્ષણો કહી શકાય.
અવારનવાર બીપી લો થવાનાં કારણો:-૧. ડિહાઇડ્રેશનભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.૨. એનિમિયાશરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.૩. હૃદયના રોગોહાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.૪. અન્ય કારણોઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.
દર્દીએ રાખવાની કાળજી
વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય. જો વારંવાર બીપી લો થતું હોય તો બ્લડટેસ્ટ, કિડનીટેસ્ટ, છાતીનો એક્સરે, પેશાબની તપાસ, થાઇરોડ ગ્રંથિના ક્ષારો કે હૃદયની તપાસ માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસટેસ્ટ કરાવી લેવી જોઇએ.