એક સ્ત્રી પોતાના સારા ગુણોના કારણે સમગ્ર ઘરને સ્વર્ગ સમાન બનાવી દે છે. પરંતુ તે જ સ્ત્રી જો ખરાબ ગુણો ધરાવતી હોય તો તેના કારણે સ્વર્ગ જેવા ઘરને પણ નર્ક બનાવી દે છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિની વિચારસરણી એક સરખી હોતી નથી. દરેક વ્યક્તિ અલગ-અલગ વિચારસરણી ધરાવતા હોય પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સ્ત્રીઓની એવી ત્રણ આદતો કે જે પરિવારના લોકો માટે બની શકે છે મુસીબતનું કારણ.જેમ સામુદ્રિક શાસ્ત્રમાં ભાગ્યશાળી સ્ત્રીઓના લક્ષણનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી જ રીતે ભાગ્યહીન સ્ત્રી વિશેનો ઉલ્લેખ પણ અહીં મળે છે.
આ શાસ્ત્ર અનુસાર ભાગ્યહીન સ્ત્રીઓ પોતાના કેટલાક લક્ષણોના કારણે જીવનમાં ક્યારેય સુખ ભોગવી શકતી નથી.સ્ત્રીઓ વિશે એવું માનવામાં આવે છે કે સ્વયં ભગવાન પણ તેમને સમજી નથી શકતા કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે. એવી ઘણી બાબતો હોય છે જે સ્ત્રીઓના સ્વભાવમાં સામેલ હોય છે. તમે લગભગ બધા જ લોકોએ આચાર્ય ચાણક્ય વિશે તો સાંભળ્યુ જ હશે. આચાર્ય ચાણક્યએ “ચાણક્ય નીતિ” નામથી એક પુસ્તક લખ્યું હતું. જેમાં મનુષ્ય વિશે ઘણી બાબતો જણાવવામાં આવી છે. આ બધી જ નીતિઓમાથી આચાર્ય ચાણક્ય એ સ્ત્રીઓની એવી આદતો વિશે ઉલ્લેખ કર્યો છે જે આદતો સમસ્યાઓનું કારણ બની શકે છે.
પહેલી આદત.
સ્ત્રીઓ એવી હોય છે કે જે ઘરના દરવાજાને હંમેશાને માટે પગનું પાટુ મારીને ખુલતી હોય છે. આવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી ને ઠોકર લાગે છે. જો કોઈપણ ઘરની સ્ત્રી તેના દરવાજાને પાટુ મારીને ખોલતી હોય તો તે ઘરમાંથી લક્ષ્મીજીનો વાસ કાયમી માટે ખતમ થઈ જાય છે. અને તેના ઘરમાં અનેક પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે. આથી કોઈ પણ સ્ત્રીએ હંમેશાં એ માટે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
બીજી આદત.
ઘણી સ્ત્રીઓને એવી આદત હોય છે કે જે ઘરમાં કાયમી માટે ખરાબ થઇ ગયેલા વાસણો રાખી મૂકતી હોય છે. પરંતુ સ્ત્રીઓને ક્યારેય પણ આવી આદત ન રાખવી જોઈએ. અને હંમેશાં એ માટે પોતાના રસોડામાં અને ઘરમાં ક્યારેય પણ ખરાબ થઇ ગયેલા વાસણો સાચવી ન રાખવા જોઈએ. જો વાસણો ખરાબ થાય કે તરત જ તેને સાફ કરીને મૂકી દેવા જોઈએ. જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાય અને તમારા ઘરની સંપત્તિ અને સુખ જળવાઈ રહે.
ત્રીજી આદત.
ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે ઘરમાં સાવરણીને પગથી ઠોકર મારતી હોય છે. પરંતુ સ્ત્રીઓની આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આમ કરવું એ અશુભ થવાની નિશાની છે. કહેવાય છે કે સાવરણી ની અંદર માતા લક્ષ્મી નો વાસ છે. અને જો કોઈ પણ સ્ત્રી પગેથી સાવરણી ને ઠોકર મારે છે તો તેના કારણે લક્ષ્મીજીને ઠોકર મારવા સમાન પાપ લાગે છે. આમ કરવાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે અને તે તમારા ઘરમાંથી જતી રહે છે.
આચાર્ય ચાણક્ય એ સ્ત્રીઓ વિશે જણાવતા કહ્યું કે, મોટાભાગની સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય છે કે તે અચાનક જ કોઈ કાર્ય કરી બેસે છે. તે કોઈપણ કાર્ય કરતાં પહેલા વિચાર કરતી નથી. વિચાર કર્યા વગર કોઈપણ કાર્ય કરવું તે સ્ત્રીઓ માટે સામાન્ય બાબત છે. તેમની આ જ આદતોને કારણે તે ઘણીવાર મુશ્કેલીમાં મુકાઇ જાય છે.આચાર્ય ચાણક્ય અનુસાર મોટાભાગની મહિલાઓ વાત વાતમાં ખોટું બોલતી હોય છે. તેમની આ ખોટું બોલવાની આદતના કારણે તેમને ઘણીવાર સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
આચાર્ય ચાણક્યજી નું કહેવું છે કે મોટાભાગની મહિલાઓ નખરા કરવાવાળી હોય છે. તે વાત વાતમાં નખરાં કરે છે. આવી સ્ત્રીઓ બીજા પર પોતાનો પ્રભાવ બનાવવા માટે, બીજા વ્યક્તિઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે અલગ અલગ પ્રકારના નખરાં કરતી હોય છે. જે ક્યારેક તેમની મુસીબતનું કારણ પણ બનતું હોય છે.આચાર્ય ચાણક્ય એ સ્ત્રીના વિશે જણાવતા કહ્યું કે સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓને પૈસા ની લાલચ હોય છે. સ્ત્રીઓને ધન અને સ્વર્ણ પ્રતિ સૌથી વધારે લગાવ હોય છે. ઘણી સ્ત્રીઓ એવી હોય છે જે પૈસાની લાલચમાં સાચું અને ખોટાનું ભાન ભૂલી જાય છે અને ખોટા રસ્તે આગળ વધી જાય છે.
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે અમુક સ્ત્રીઓની આદત એવી હોય છે કે તે વધારે પડતા આત્મવિશ્વાસના કારણે મુર્ખો વાળા કામો કરી નાખે છે. જે તેમને બિલકુલ ના કરવું જોઈએ. તેમની આ આદતોના લીધે જ ઘણીવાર ખૂબ જ મોટી સમસ્યાઓ ઊભી થઈ જતી હોય છે.આચાર્ય ચાણક્યજી એક ખૂબ જ મોટા નીતિકાર હતા. તેમણે મનુષ્ય જાતિ વિશે પણ જે વાતો જણાવી છે તે આજકાલના સમયમાં બિલકુલ સાચી સાબિત થઈ રહી છે. જો આચાર્ય ચાણક્યજી દ્વારા જણાવવામાં આવેલી વાતો પર વ્યક્તિ અમલ કરે છે તો તે પોતાના જીવનમાં સફળતા તરફ આગળ વધે છે અને તેમને ક્યારેય પણ કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.આમ સ્ત્રીઓની આ આદતો ઘર પરિવારના લોકો માટે બની શકે છે મુસીબતનું કારણ.