Breaking News

મૃતદેહ ને લઈ જતા સમય કેમ બોલવામાં આવે છે રામ નામ સત્ય છે, તમે પણ નહીં જાણતા હોવ તેનાથી જોડાયેલી આ મોટી વાત

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઆપણા હિંદુધર્મમાં બધા જ લોકો જાણે છે કે રામ નામનું ખુબ જ મહત્વ રહેલું છે. માત્ર ત્રણ જ વાર રામ નામનો જાપ કરવામાં આવે તો એક હાજર મંત્ર જાપ બરોબર માનવામાં આવે છે.તો આજે અમે તમને જણાવશું કે શા માટે વ્યક્તિની અંતિમ યાત્રામાં રામ નામ બોલવામાં આવે અથવા “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નો ઉચ્ચાર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની પાછળના રહસ્ય અને તેનું સાચું કારણ.

તમે ઘણીવાર જોયું જ હશે કે જ્યારે મૃત્યુ પછી મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવે છે, ત્યારે તે દરમિયાન રસ્તામાં લોકો રામ નામ સત્ય કેમ બોલતા જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આવું બોલવામાં આવે છે. આજે અમે તમને એ વિષય વિશે જણાવીશું. ચાલો આપણે જાણીએ કે મૃતદેહને લઈ જતા સમયે રામ નામ સત્ય કેમ બોલવામાં આવે છે.ચાલો તમને જણાવી દઈએ કે આ વાતનો ઉલ્લેખ મહાભારતના મુખ્ય પાત્ર પાંડવોના મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે એક શ્લોક દ્વારા કર્યો હતો.

अहन्यहनि भूतानि गच्छंति यमममन्दिरम्।
शेषा विभूतिमिच्छंति किमाश्चर्य मत: परम्।।

એટલે કે જ્યારે મૃતકને સ્મશાનમાં લઈ જવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે રામ નામ સત્ય છે પરંતુ જ્યારે તેઓ ઘરે પાછા ફરે છે, ત્યારે રામનું નામ ભૂલીને મોહ માયામાં લુપ્ત થઈ જાય છે. મૃતકના પરિવારજનોએ સૌ પ્રથમ મૃતકનો સામાન સંભાળવાની અને માલને સંભાળવાની ચિંતા કરે છે અને માલ પર લડે છે. ધર્મરાજા યુધિષ્ઠિરે આગળ કહે છે રોજ પ્રાણી મરી જાય છે, પરંતુ પરિવારના લોકોને મિલકતને જ ઈચ્છે છે એનાથી વધીને આપણને શું આશ્ચર્ય થશે.

રામ નામ સત્ય છે, સત્ય બોલો ગથ હૈ, બોલવાની પાછળનું નામ મૃતકોને સાંભળવું નહીં હોતું પરંતુ સાથે ચાલી રહેલા પરિવાર, મિત્રો અને ત્યાંથી પસાર થતા લોકોએ હકીકતથી પરિચિત થઈ જાય કે રામનું નામ સત્ય છે. જ્યારે રામ બોલશે ત્યારે જ ગતિ થશે.તેથી જ લોકોને રામ નામનો જાપ કરવાનું કહેવામાં આવે છે. પણ જીંદગીની દોડ માં કામ ક્રોધ મદ મોહમાં અંધ બનેલો માણસ આખી જીંદગીમાં થોડો સમય કાઢીને પણ આ નામ નથી બોલી શકતો. ‘રામ’ શબ્દ માત્ર થીજ સંસારરૂપી નાવથી ભવસાગર તારવાની તાકાત ધરાવે છે. તમને ખબરજ હશે કે આ એ શબ્દ છે જેનાથી પાણી માં પણ પત્થર તરે છે. શાસ્ત્રો મુજબ ભગવાન રામ કરતાં એનું નામ જ સૌથી વધુ તાકાત ધરાવે છે.

ઘણા લોકોનું માનવું છે કે મૃત્યુ બાદ અંતિમયાત્રા દરમિયાન રામ નામ સત્ય હે અથવા હે રામ જપવામાં આવે તો પરિવારના સભ્યોને ખુબ જ શાંતિ મળે છે. કેમ કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તેનો પરિવાર વેદનામાં ડૂબી જાય છે અને તે દરમિયાન જો રામ નામ જપવામાં આવે તો મનને શાંતિ મળે છે અને મૃતકના આત્માને પણ શાંતિ મળે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *